મગફળીમાં વધારે યુરિયા ખાતર અપાતા નુકસાન – સત્ય
જાણો, પાક બચાવો!
મગફળી એ એવો પાક છે કે જે પોતાની જાતે જ હવામાંથી નાઈટ્રોજન લઇ શકે છે. એટલે કે, વધારે યુરિયા આપવાની જરૂર જ નથી. પણ ઘણાં ખેડૂત મિત્રો અજાણતા યુરિયા વધારે આપી દે છે – અને પછી પાકમાં ભારે નુકસાન પાછળ નુકસાન!
ચાલો હવે સરળ શબ્દોમાં સમજીએ કે યુરિયાનું વધારે પ્રમાણ શા માટે ખોટું છે.
વધારે યુરિયા આપવાથી થતા નુકસાન:
- રાઇઝોબિયમ બેક્ટેરિયા નાશ પામે - મગફળીના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહે છે, જે નાઈટ્રોજન બનાવે છે. પણ જ્યારે જમીનમાં વધારે યુરિયા હોય, ત્યારે આ રાઈઝોબિયમની ગાંઠો નો વિકાસ અટકી જાય છે, એટલે પાકની કુદરતી ખોરાક લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. પાક કુદરતી રીતે પોષણ લઇ શકતો નથી.
- છોડનો વાનસ્પતિક વૃદ્ધિ વિકાસ વધારે અને ફૂલ-ફળના ઉત્પાદનમાં ઘટાડો થાય છે પરીણામે ઉપજ ઘટે છે, ખેડૂતોને નુકસાન થાય છે.
- જીવાત અને રોગ વધે - છોડમાં કુણપ વધે છે અને નાજુક બને છે. એટલાં માટે થ્રીપ્સ, મોલો, કથીરી, પાવડરી મિલ્ડ્યુ જેવા રોગ/જીવાત ઝડપથી હુમલો કરે છે. દવાના ખર્ચમાં વધારો અને ઉપજમાં ઘટાડો.
- પાણીની જરુરત વધે - વધુ યુરિયા આપતા છોડ વધારે પાણી પીએ છે. પાણી વધારે વાપરાય છે. જમીનમાં ભેજ વધારે થાય છે. જમીન એસીડીક બને છે અને પરિણામે પોષકતત્વોની ઉપલબ્ધતા ઘટે છે
- જમીનની તંદુરસ્તી નાશ પામે - યુરિયાના વધારે ઉપયોગથી જમીનમાં રહેલા સારા જીવ (માઈક્રોબ્સ) નાશ પામે છે. જમીન ધીમે ધીમે નબળી થાય છે. ભવિષ્યમાં પણ પાકનું ઉત્પાદન ઘટે છે.
સાચો રસ્તો શું છે?
- મગફળીમાં યુરિયા બહુ ઓછી માત્રામાં જ આપવી.
- વાવેતર સમયે "રાઇઝોબિયમ કલ્ચર" જરૂરથી આપવું.
- જમીનનું ટેસ્ટિંગ કરાવીને ખાતર આપવું.
- ઓર્ગેનિક દવા અને બાયોસ્ટિમ્યુલન્ટ ઉપયોગ કરવો.
ખેડૂત ભાઈઓને સંદેશ:
- જો ઉત્પાદન વધારવું હોય તો વધુ ખાતર નહીં
પણ યોગ્ય માત્રા અને યોગ્ય ખાતર આપવું જરૂરી છે.
- મગફળી પોતે નાઈટ્રોજન લઈ શકે છે – એને વધુ યુરિયા આપવી બેકાર છે.
- આજથી જ ખાતરનું યોગ્ય વપરાશ
શીખો અને જમીન-પાક બંને બચાવો!
ઓલ ઈન વન ખરીદો અને સ્માર્ટ ફોન જીતો :-
https://agribond.short.gy/agbond-products
ઓલ ઈન વન - ખેતીનું પાવપરપેક - સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો :-
https://agribond.short.gy/IblTRD
લાઈક
5
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Bharatbhai Kachhadiya
01 Aug, 2025Khub sari mahiti api