ઉનાળુ બાજરીની વૈજ્ઞાનિક ખેતી | Agribond

ઉનાળુ બાજરીની વૈજ્ઞાનિક ખેતી: બિયારણ, ખાતર, પિયત અને નિંદામણનું સચોટ આયોજન

એગ્રીબોન્ડ નિષ્ણાતો દ્વારા ભલામણ કરેલ

ઉનાળાની ઋતુમાં બાજરી એ ખેડૂતો માટે 'સોના' સમાન પાક છે. આ પાક માત્ર અનાજ માટે જ નહીં, પણ પશુપાલન માટે ઉત્તમ ઘાસચારો પૂરો પાડતો હોવાથી ખેડૂતોની પહેલી પસંદ રહે છે.

આજે આપણે એગ્રીબોન્ડના નિષ્ણાતો દ્વારા ભલામણ કરેલ સચોટ ખેતી પદ્ધતિ વિશે વિગતે વાત કરીશું.
1

વાવેતર સમય અને જમીન તૈયારી

વાવેતરનો સમય
૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ
શ્રેષ્ઠ સમય
જમીન તૈયારી
ભરભરી અને સમતળ
બે-ત્રણ વાર ખેડ
2

બિયારણની પસંદગી અને દર

ઉનાળામાં લૂ અને ગરમી સામે ટકી શકે અને ડુંડા પૂરા ભરાય તેવી હાઈબ્રિડ જાતો પસંદ કરવી જોઈએ.

ખાસ ભલામણ
રાજી-૨૧૨૧ ડબલ પ્લસ
  • ગરમી સામે શ્રેષ્ઠ રક્ષણ
  • વધુ ઉત્પાદન
વધુ ઉત્પાદન
રાજી-૨૧૩૧ પ્લસ
  • ઉત્તમ ચારો
  • ઉત્તમ ઉત્પાદન
બિયારણનો દર
૧૬ ગુંઠાનો વીઘો ૧ કિલો
૨૪ ગુંઠાનો વીઘો ૧.૫ કિલો (એક થેલી)

(તમારા વિસ્તારમાં વીઘાનું માપ કેટલું છે તે મુજબ બિયારણ વાપરવું)

3

ખાતર વ્યવસ્થા (એકર દીઠ માપ)

સારા ઉત્પાદન માટે નીચે મુજબના બે વિકલ્પોમાંથી કોઈ એક રીતે તમે એક એકર (૪૦ ગુંઠા) જમીનમાં ખાતર આપી શકો છો:

વિકલ્પ ૧
યુરિયા: ૨૫ કિલો
+
ડી.એ.પી.: ૨૫ કિલો
વિકલ્પ ૨ (અથવા)
એન.પી.કે. (૧૨:૩૨:૧૬) ૪૫ થી ૫૦ કિલો
(નોંધ: દાણાની ચમક અને ગુણવત્તા વધારવા માટે આની સાથે પાયામાં એકરે ૪-૫ કિલો સલ્ફર આપવું ખૂબ ફાયદાકારક છે.)
4

પિયત વ્યવસ્થા

ઉનાળામાં તાપમાન વધુ હોવાથી પાણીની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. બાજરીના પાકમાં નીચે મુજબ ૫ પિયત આપવા ખૂબ જરૂરી છે:

1
પ્રથમ પિયત વાવેતર બાદ તુરંત જ આપવું.
2
બીજું પિયત વાવેતરના ૭-૮ દિવસે (ઉગાવા માટે).
3
ત્રીજું પિયત ૨૦-૨૫ દિવસે (ફૂટ અવસ્થાએ).
4
ચોથું પિયત ૪૦-૪૫ દિવસે (ગાભે આવવાની અવસ્થાએ).
5
પાંચમું પિયત ૬૦-૬૫ દિવસે (દાણા ભરાવાની અવસ્થાએ).
5

નિંદામણ નિયંત્રણ

બાજરીના પાકમાં નિંદામણ દૂર કરવા માટે નીચે મુજબના ૩ તબક્કા ધ્યાનમાં રાખવા:

૧. વાવેતર સમયે (પ્રી-ઈમરજન્સ)
ક્યારે: વાવેતર કર્યાના ૪૮ કલાકની અંદર (બીજ ઉગે તે પહેલાં) જમીનમાં ભેજ હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવો. આનાથી નિંદામણ ઉગતું અટકે છે.
દવાનું નામ: એટ્રાઝીન ૫૦% વે.પા. (Atrazine 50% WP).
માપ: એક એકરે: ૫૦૦ ગ્રામ થી ૧ કિલો. / ૧ પંપમાં: ૫૦ થી ૬૦ ગ્રામ.
ઉપયોગ: વાવેતર પછી તરત જ ભીની જમીનમાં સ્પ્રે કરવો.
૨. ઉભા પાકમાં (પોસ્ટ-ઈમરજન્સ)
ક્યારે: જ્યારે બાજરીનો પાક ૨૦ થી ૩૦ દિવસનો થાય ત્યારે જો ખેતરમાં પહોળા પાનવાળું નિંદામણ (જેમ કે લૂણી, તાંદળજો, ચીલ) હોય તો નીચે મુજબની દવા વાપરી શકાય.
દવાનું નામ: ૨,૪-ડી સોડિયમ સોલ્ટ (2,4-D Sodium Salt) અથવા ૨,૪-ડી ઈથાઈલ એસ્ટર.
માપ: એક પંપમાં ૨૦-૨૫ મિલી.
ખાસ ચેતવણી:
  • આ દવા માત્ર પહોળા પાનના નિંદામણ માટે છે.
  • બાજરીનો પાક નાનો હોય (૧૫ દિવસથી ઓછો) ત્યારે આ દવા ન છાંટવી, નહીંતર પાકને નુકસાન થઈ શકે.
  • વાતાવરણમાં ભેજ હોય અને પવન ઓછો હોય ત્યારે જ છંટકાવ કરવો.
૩. સાંકડા પાનનું નિંદામણ
જો ખેતરમાં સાંકડા પાનનું ઘાસ (જેમ કે સામો, ચીડીયો) હોય, તો તેના માટે બાજરીમાં કોઈ સુરક્ષિત રાસાયણિક દવા ઉપલબ્ધ નથી (કારણ કે બાજરી પોતે પણ ઘાસ વર્ગનો પાક છે).
ઉપાય: આંતરખેડ (કરબ) અથવા હાથથી નિંદામણ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

નિષ્કર્ષ

ખેડૂત મિત્રો, જો તમે ઉપર મુજબ ખાતર, પિયત અને નિંદામણનું સચોટ વ્યવસ્થાપન કરશો, તો ઉનાળુ બાજરીમાં ચોક્કસપણે મબલખ ઉત્પાદન મેળવી શકશો.

વધુ માહિતી માટે ૭૩૭૦૦ ૭૩૫૦૦ પર સંપર્ક કરો.

શ્રેષ્ઠ બિયારણ ખરીદવા માટે નીચે ક્લિક કરો:

લાઈક કરવા માટે લોગ ઈન કરો.