ગુજરાતના ધરતીપુત્રો માટે
મહત્વના સમાચાર
ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળે તે હેતુથી સરકાર દ્વારા આ ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
યોજનાની વિગત
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે રવિ સીઝન ૨૦૨૬-૨૭ માટે ટેકાના ભાવે ઘઉં ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ પોતાની ઉપજ વેચવા માટે ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત છે.
નોંધણીથી લઈને ખરીદી સુધીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે સરકારે 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' ફરજિયાત કર્યું છે.
મહત્વની સમયરેખા
નોંધણી કેવી રીતે કરાવવી?
ખેડૂતોને તાલુકા મથકે ધક્કા ખાવા ન પડે તે માટે ગામમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખોટા લાભાર્થીઓને રોકવા માટે સરકારે કડક પગલાં લીધા છે.
- નોંધણી સમયે અને વેચાણ સમયે, બંને વખતે ખેડૂતની આંગળાની છાપ લેવામાં આવશે.
- જે વ્યક્તિના નામે જમીન (7/12 માં નામ) છે, તે જ વ્યક્તિએ રૂબરૂ હાજર રહેવું પડશે.
- અન્ય કોઈ વ્યક્તિ કે સગા-સંબંધી ખેડૂતના વતી માલ વેચી શકશે નહીં.
જરૂરી દસ્તાવેજોની યાદી
VCE પાસે જતા પહેલા નીચેના દસ્તાવેજોની અસલ અને નકલ સાથે રાખવી:
- આધાર કાર્ડ (અસલ હોવું જરૂરી છે)
- અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8-અ
- બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક (પેમેન્ટ માટે)
- વાવેતરનો દાખલો: જો 7/12 માં ઘઉંના પાકની નોંધ ન થઈ હોય, તો તલાટી મંત્રીનો સહી-સિક્કા વાળો દાખલો.
વેચાણ પ્રક્રિયા અને SMS
નોંધણી કરાવ્યા પછી તરત માલ લઈને જવાનું નથી. નીચે મુજબની પ્રક્રિયા અનુસરવી:
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.